જે વ્યકિત વિરૂધ્ધ માહિતી મળી હોય તેને છોડી મુકવા બાબત - કલમ : 137

જે વ્યકિત વિરૂધ્ધ માહિતી મળી હોય તેને છોડી મુકવા બાબત.

જેના વિશે તપાસ કરવામાં આવી હોય તે વ્યકિતએ યથાપ્રસંગ સુલેહ જાળવવા કે સારા વતૅન માટે મુચરકો આપવાની જરૂર છે એવુ કલમ-૧૩૫ હેઠળની તપાસ ઉપરથી સાબિત ન થાય તો મેજિસ્ટ્રેટ રેકડૅ ઉપર તેવી મતલબની નોંધ કરશે અને તે વ્યકિત માત્ર તે તપાસના હેતુઓ માટે કસ્ટડીમાં હોય તો તેને મુકત કરશે અથવા તે વ્યકિત કસ્ટડીમાં ન હોય તો તેને છોડી મુકશે.